23 November, 2012 05:21 AM IST |
લગભગ ત્રણેક કલાક સુધી હાર્બર લાઇનનો ટ્રેનવ્યવહાર ખોરવાઈ ગયો હતો જે સાડાઅગિયાર વાગ્યા બાદ પૂર્વવત્ થયો હતો. સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘સવારે ૮.૪૮ વાગ્યાની આસપાસ વડાલા રોડ પર કુર્લાના છેવાડા તરફ અપ લાઇનમાં રેલ-ફ્રૅક્ચર હોવાનું જાણવા મળ્યું હતું. એને પગલે છત્રપતિ શિવાજી ટર્મિનસ જતી ટ્રેનો બંધ કરવી પડી હતી એટલે રેલવે-બ્લૉક હાથ ધરીને યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવ્યું હતું અને ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી હતી. રેલ-ફ્રૅક્ચરને લીધે ટ્રૅક પર ટ્રેનો ઊભી રહી જવાને પગલે મોડે સુધી ટ્રેનો ૪૦થી ૪૫ મિનિટ મોડી દોડી રહી હતી એટલું જ નહીં, ૨૬ જેટલી ટ્રેન-સર્વિસ કૅન્સલ કરવી પડી હતી.’
- પી. સૃષ્ટિ