02 August, 2012 05:30 AM IST |
દહીહંડી અને ગણેશોત્સવના તહેવાર દરમ્યાન કોઈ અકસ્માત થાય અને મટકી ફોડવા નીકળનારા ગોવિંદાઓ કે ગણેશભક્તોમાંથી જો કોઈ જખમી થાય તો તેમને ૧૫,૦૦૦ રૂપિયા સુધીની મેડિકલ હેલ્પ આપવાનો તેમ જ કોઈનું મૃત્યુ થાય તો એ સ્વયંસેવકનાં સગાંસંબંધીને દોઢ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાનો નિર્ણય સુધરાઈએ લીધો છે. આવતા અઠવાડિયે દહીહંડી તો ૧૯ સપ્ટેમ્બરે ગણેશચતુર્થી છે. દહીહંડીમાં માનવ-પિરામિડ રચવામાં આવતા હોય છે. એ દરમ્યાન અનેક ગોવિંદાઓ પડીને જખમી થતા હોય છે, જ્યારે ગણેશોત્સવ દરમ્યાન વર્સિજનના દિવસે ધક્કામુક્કી સહિત અનેક બનાવો બનતા હોય છે એટલે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ આ લોકોને વીમાસંરક્ષણ મળવું જોઈએ એવી માગણી કરી હતી.