16 February, 2021 12:34 PM IST | Mumbai | Gujarati Mid Day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્ય સરકારે આગામી બજેટમાં એનું ૭ ટકા ભંડોળ સ્વાસ્થ્ય અને મેડિકલ વિભાગને ફાળવવું જોઈએ, એમ મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર અમિત દેશમુખે સોમવારે ઔરંગાબાદમાં જણાવ્યું હતું.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ માગણી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સુધી પહોંચાડવામાં આવી છે અને રાજ્યની કૅબિનેટે એ વિશે ચર્ચા પણ કરી હતી.
ગયા વર્ષે આરોગ્ય અને મેડિકલ શિક્ષણ વિભાગ માટે ૩.૫ ટકાની ફાળવણી કરવામાં આવી હતી. આ વખતે આ ફાળવણી ૭ ટકા હોવી જોઈએ એમ દેશમુખે જણાવ્યું હતું.