24 September, 2012 05:19 AM IST |
મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ ર્બોડ ગણેશ ઉત્સવ દરમ્યાન વિવિધ શહેરોમાં ધ્વનિ-પ્રદૂષણના સ્તરને માપવાનું કાર્ય કરતું હોય છે. નિયમ પ્રમાણે સાઇલન્સ ઝોનમાં દિવસ દરમ્યાન ૫૦ ડેસિબલ (ડીબી) તથા રહેઠાણ વિસ્તારમાં ૫૫ ડીબી ધ્વનિ-પ્રદૂષણ હોવું જોઈએ. સામાન્ય રીતે ગણેશોત્સવના અંતિમ દિવસો દરમ્યાન ધ્વનિ-પ્રદૂષણની ફરિયાદો નાગરિકો કરતા હોય છે, પરંતુ આ વખતે શરૂઆતથી જ ભારે શોરબકોર જોવા મળ્યાંની ફરિયાદો નાગરિકો કરી રહ્યા છે.
આ વખતે ગોકુળાષ્ટમીમાં પણ ધ્વનિ-પ્રદૂષણે આગલા તમામ રેકૉર્ડ બ્રેક કર્યા હતા. ગયા વર્ષે ધ્વનિ-પ્રદૂષણ ૧૦૫ ડીબીની જગ્યાએ ૧૭૩ ડીબી નોંધવામાં આવ્યું હતું. આ વખતે ગણેશોત્સવ દરમ્યાન લોકો મોડી રાત સુધી ફટાકડા ફોડે છે તેમ જ મ્યુઝિક ચાલુ રાખે છે.