વાશીમાં રવિવારે નિઃશુલ્ક કરીઅર ગાઇડન્સ સેમિનારનું આયોજન

27 May, 2022 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સેમિનારનું સંચાલન સુપરિન્ટેન્ડન્ટ ઑફ સર્વિસ ટૅક્સ (રિટાયર) મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન (IAS ઍકૅડેમી)ના ડિરેક્ટર તેમ જ કરીઅર ગાઇડન્સ અને કાઉન્સેલિંગમાં ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા વ્રજ પટેલ દ્વારા કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

કચ્છ યુવક સંઘ - નવી મુંબઈ અને શ્રી ગુજરાત સમાજ - નવી મુંબઈ દ્વારા રવિવાર ૨૯ મેએ વાશીમાં નિઃશુલ્ક કરીઅર ગાઇડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનું સંચાલન સુપરિન્ટેન્ડન્ટ ઑફ સર્વિસ ટૅક્સ (રિટાયર) મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન (IAS ઍકૅડેમી)ના ડિરેક્ટર તેમ જ કરીઅર ગાઇડન્સ અને કાઉન્સેલિંગમાં ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા વ્રજ પટેલ દ્વારા કરવામાં આવશે. આ નિઃશુલ્ક સેમિનારમાં ધોરણ ૮થી લઈને SSC, HSC અને ડિગ્રી હોલ્ડર્સ વિદ્યાર્થીઓ તેમનાં માતા-પિતા સાથે હાજર રહી શકે છે. ક્યાં ભણીને સારી રીતે સેટલ થવાય એ વિશે વ્રજ પટેલ માર્ગદર્શન આપશે અને દરેક શંકાનું નિવારણ કરશે. SSC તેમ જ HSC બોર્ડ પરીક્ષા બાદ શું કરવું એ માટે મૂંઝવણ ધરાવતા વિદ્યાર્થીઓ આ સેમિનારમાં નિઃશુલ્ક આઇક્યુ ટેસ્ટ અને ઍપ્ટિટ્યુડ ટેસ્ટ કરાવી શકે છે. આ સેમિનાર કચ્છ યુવક સંઘની યુટ્યુબ ચૅનલ પર માણી શકાશે. વધુ માહિતી માટે ચંદ્રકાન્તભાઈ ૯૩૨૨૫ ૧૪૧૭૨, મીતા છેડા ૯૮૨૧૧ ૩૫૯૭૨, અંજના ગાંધી ૭૦૨૧૬ ૦૮૬૨૭ અથવા વિધિ જૈનનો ૯૧૩૭૪ ૫૯૮૮૬ નંબર પર સંપર્ક કરવો. સ્થળ : શ્રી ગુજરાત સમાજ હૉલ, બીજા માળે, સેક્ટર-૧૫, વાશી, નવી મુંબઈ. સમય ઃ સવારે ૯.૩૦થી ૧૨.૦૦

Mumbai mumbai news