મીરા-ભાઇંદરના ફાયર-બ્રિગેડના ૫૪ જવાનોનું સન્માન

17 February, 2021 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા-ભાઇંદરના ફાયર-બ્રિગેડના ૫૪ જવાનોનું સન્માન

મીરા રોડના રામનગર રેસિડેન્શિયલ એરિયામાં ૮ ફેબ્રુઆરીએ મોડી રાતે ગૅસ-સિલિન્ડર ભરેલી બે ટ્રકમાં ગૅસ-લીકેજને કારણે આઠ સિલિન્ડર બ્લાસ્ટ થયાં હતાં. ભયાનક પરિસ્થિતિ વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ આગ કાબૂમાં લાવીને ૩૧૬ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બચાવી દીધાં હોવાથી એમબીએમસી ફાયર-બ્રિગેડના ૫૪ ફાયરમેન અને જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશાળ આગમાં ત્રણ વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને એક રાહદારીને ઈજા થઈ હતી. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર હસમુખ ગેહલોતના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 

mumbai mumbai news mira road bhayander