મંત્રાલયના ચોથા માળે લાગી આગ, કોઈ જાનહાની નહીં

31 March, 2020 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મંત્રાલયના ચોથા માળે લાગી આગ, કોઈ જાનહાની નહીં

તસવીર: આશિષ રાજે

મંત્રાલયના ચોથા માળે એક બંધ કૅબિનમાં સોમવારે રાત્રે આગ લાગી હતી. ચોથા માળે U.D. Minister ના ચેમ્બરની બાજુમાં આવેલી શહેરી વિકાસ વિભાગની બંધ કૅબિનમાં કૉમ્યુટર અને પ્રિન્ટરમાં આગ લાગી હતી અગ્નિશમન દળને  રાત્રે આઠ વાગે ફોન આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતા. ત્રણ જમ્બો ટેન્કર સાથે ચાર ફાયર એન્જીન ઘટના સ્થળે પહોચ્યા હતા અને રાત્રે 9.30 વાગ્યા સુધીમાં તેમને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ દુર્ઘટનમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ચોથા માળે પ્રસરેલા ધુમાડાને કારણે કેટલીક જગ્યાએથી સીલીંગવેઝ દૂર કરવી પડી હતી અને તાત્કાલિક ધોરણે થોડાક સમય માટે એ.સી. પ્લાન્ટ રૂમનું ઓપરેન પણ બંધ કરાવ્યું હતું. આગને કાબુમાં લેવા માટે ફાયરમેને ઘણી મહેનત કરવી પડી હતી.

mumbai mumbai news mantralaya