મુલુંડ-ગોરેગામ લિન્ક રોડ પર વ્યંડળોના ત્રાસથી બાઇક અને કાર ચલાવતા લોકો થયા ત્રાહિમામ્

26 September, 2012 08:34 AM IST  | 

મુલુંડ-ગોરેગામ લિન્ક રોડ પર વ્યંડળોના ત્રાસથી બાઇક અને કાર ચલાવતા લોકો થયા ત્રાહિમામ્

સાંજના સમયે અહીંથી પસાર થતા બાઇક-કાર ચલાવતા લોકોને રસ્તામાં જબરદસ્તી ઊભા રાખીને વ્યંડળો પૈસા પડાવે છે. એને કારણે અહીંથી પસાર થતા બાઇકસવારો, કારચાલકો અને રાહદારીઓમાં ભય પ્રસરી ગયો છે. જો કોઈ વ્યંડળોને પૈસા ન આપે તો તેઓ માનસિક રીતે હેરાન કરે છે. આ બાબતે મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના કચ્છી-ગુજરાતી સેલના અધ્યક્ષ ભરત દનાણીએ સત્તાવાળાઓને આ પરિસરમાં સાંજના અને રાતના સમયે પોલીસ દ્વારા પૅટ્રોલિંગ કરવામાં આવે અને વ્યંડળોના ત્રાસથી જનતાને છુટકારો અપાવવામાં આવે એવી અપીલ કરી છે.