આજની દશેરા રૅલીમાં બાળ ઠાકરે કોના પર તોપ તાકશે ?

24 October, 2012 04:48 AM IST  | 

આજની દશેરા રૅલીમાં બાળ ઠાકરે કોના પર તોપ તાકશે ?

બૉમ્બે હાઈ ર્કોટે આવતા વર્ષથી આ રૅલી માટે અન્ય મેદાન શોધવા માટે કહી દીધું છે. આ વખતે પહેલી વાર રૅલીની શરૂઆતમાં શસ્ત્રપૂજા અને પ્રવચનો પછી રાવણદહનનો કાર્યક્રમ યોજાશે. છેલ્લાં ૪૦ વર્ષમાં શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેએ રાજકારણ પર દોરેલાં કાટૂર્નોનો સમાવેશ કરતા પુસ્તકનું આ રૅલીમાં પ્રકાશન કરવામાં આવશે. આ રૅલીને કેટલીક શરતોને આધીન પરવાનગી મળી હોવાથી અવાજના પ્રદૂષણના કાયદાનો ભંગ થાય નહીં એ માટે મેદાનની ફરતે પતરાં લગાવી દેવામાં આવ્યાં છે. ચાર મોટાં સ્પીકરોને બદલે ૩૨ નાનાં સ્પીકરો મૂકવામાં આવ્યાં છે.