21 June, 2022 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એકનાથ શિંદે (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રમાં શિવસેના નેતા એકનાથ શિંદેને ચીફ વ્હિપ પદ પરથી પાર્ટીએ ખસેડી દીધા છે. તેમની જગ્યાએ અજય ચૌધરી નવા ચીફ વ્હિપ બનાવવામાં આવ્યા છે. શિંદે હવે પાર્ટીના વિધેયક દળના નેતા નથી. જણાવવાનું કે ઠાકરે સરકારમાં મંત્રી શિંદેએ કડક વલણ અપનાવતા પાર્ટીના 21 અન્ય વિધેયકો સાથે ગુજરાત પહોંચી ગયા છે. તેઓ સૂરતના મેરિડિયન હોટેલમાં પાર્ટીના વિધેયકો સાથે રોકાયા છે. તેમની સાથે પાર્ટી નેતા સંપર્ક કરી શકતા નથી. આની સાથે જ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘમાસાણ મચ્યો છે.
તો એકનાથ શિંદેએ કહ્યું કે અમે બાળાસાહેબના પાક્કા શિવસૈનિક છીએ. બાળાસાહેબે અમને હિંદુત્વ શીખવ્યું છે. બાળાસાહેબના વિચારો અને ધર્મવીર આનંદ દીધે સાહેબના શિક્ષણ વિશે સત્તા માટે અમે ક્યારેય દગો નથી આપ્યો અને ન ક્યારેય દગો કરીશું.
ભાજપ પર નિશાનો સાધતા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું, "આ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની જેમ જ ઉદ્ધવ ઠાકરેની સરકારને પણ પાડવાનો ષડયંત્ર છે." તેમણે કહ્યું, "શિવસેના વફાદારોની પાર્ટી છે. અમે એવું નહીં થવા દઈએ." જણાવવાનું કે એકનાથ શિંદેની ગણતરી શિવસેનાના કદાવર નેતાઓમાં થાય છે. તેમણે પ્રદેશમાં સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમનું આ પગલું ઉદ્ધવ ઠાકરે સરકાર માટે મુશ્કેલીઓ વધારી શકે છે.