એકનાથ શિંદેએ રાજ ઠાકરે તરફ નજર દોડાવી

27 June, 2022 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકીય સંકટ વચ્ચે શિવસેનામાં બળવો કરનારા એકનાથ શિંદેએ ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું હતું.

બાપ્પાને પોંખવાની તૈયારી ચિંચપોકલીના ફૅમસ ચિંતામણી ગણપતિ મંડળ દ્વારા આ વખતે ગણેશોત્સવની જબરજસ્ત તૈયારીઓ કરાઈ છે અને એના જ ભાગરૂપે ગઈ કાલે ગણેશ પદ પૂજા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવાનો મન મૂકીને નાચ્યા હતા. આશિષ રાજે


મુંબઈ ઃ રાજકીય સંકટ વચ્ચે શિવસેનામાં બળવો કરનારા એકનાથ શિંદેએ ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું હતું. એકનાથ શિંદે જૂથ કાનૂની મુશ્કેલીમાં મુકાય તો એણે કોઈ ચૂંટણી પંચમાં રજિસ્ટર થયેલા રાજકીય પક્ષમાં વિલીન થવું પડે. બીજેપી અને બચ્ચુ કડુના પ્રહાર જનશક્તિ પક્ષ ઉપરાંત એમએનએસ પણ વિકલ્પ છે. આ વાત એકનાથ શિંદે સારી રીતે જાણતા હોવાથી તેમણે સર્જરી બાદ શનિવારે જ હૉસ્પિટલમાંથી ઘરે પહોંચેલા રાજ ઠાકરેની ખબરઅંતર પૂછવા માટે ફોન કર્યો હોવાનું કહેવાય છે. જોકે બન્ને વચ્ચે ખબર પૂછવા સિવાય શું વાતચીત થઈ હતી એ જાણી નહોતું શકાયું. બળવા પહેલાં શિંદે જૂથના વિધાનસભ્યોએ રાજ ઠાકરેની મુલાકાત લીધી હતી.

mumbai news shiv sena raj thackeray