નવરાત્રિ જોઈને પાછા આવી રહેલા 6 ટીનેજરનાં અકસ્માત થતાં મૃત્યુ

25 October, 2012 05:10 AM IST  | 

નવરાત્રિ જોઈને પાછા આવી રહેલા 6 ટીનેજરનાં અકસ્માત થતાં મૃત્યુ

એમાં છ ટીનેજરનાં મૃત્યુ થયાં હતાં અને એક જણ ગંભીર જખમી થયો હતો. મંગળવારે મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ ટીનેજરોનું ગ્રુપ દુર્ગામાતાનાં દર્શન કર્યા બાદ ગરબા રમીને ઘરે પાછું આવી રહ્યું હતું. આ ગ્રુપ ભિવંડીના પાયે ગામમાં રહે છે. ટીનેજરો પોતાની મસ્તીમાં હતા તેથી તેમનું ગાડીની સ્પીડ પર નિયંત્રણ ન રહેતાં ગાડી ડિવાઇડર તોડીને સામેના રસ્તા પરથી જઈ રહેલા કન્ટેનર સાથે જોરદાર અથડાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માતમાં ગાડીમાં સવાર છ ટીનેજરો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને એક જણને ભિવંડીની પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની પણ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.