લોકલની ડૉર-પૅનલને સાંકળ વડે બાંધવામાં આવશે : સેન્ટ્રલ રેલવે

24 November, 2011 10:32 AM IST  | 

લોકલની ડૉર-પૅનલને સાંકળ વડે બાંધવામાં આવશે : સેન્ટ્રલ રેલવે

 

આ વિચિત્ર અકસ્માત નાહુર તથા મુલુંડ સ્ટેશન વચ્ચે બન્યો હતો. સીએસટી (છત્રપતિ શિવાજી ટમિનસ)-અંબરનાથ લોકલ ટ્રેનની ડૉર-પૅનલ ઊડીને એને સમાંતર પસાર થતી સીએસટી-બૅન્ગલોર ઉદયન એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. એને કારણે એક મહિલા અને બાળકને ઇજા થઈ હતી. મહિલા ચંદ્રાબાઈનો કોણી સુધીનો જમણો હાથ તથા બાળક શારણુના ડાબા હાથનું કાડું કાપવાં પડ્યાં હતાં. રેલવેએ બન્નેની સારવારનો ખર્ચ કરવા ઉપરાંત ૫૦૦૦ રૂપિયાની સહાય કરી છે. સહાયની આ રકમથી બન્ને ઘાયલોના પરિવારજનો નાખુશ છે. જોકે રેલવેએ વધુ સહાયની ખાતરી આપી છે.