14 September, 2022 07:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ શિવાજીરાજે ભોસલેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભોસલે, છત્રપતિ શિવાજી મહારાજની 12 પેઢીના વંશજ હતા. તેઓ 75 વર્ષના હતા અને ઉંમર સંબંધે બીમારીઓને કારણે તેમણે મંગળવારે પુણેની એક હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
ફડણવીસે સાંસ્કૃતિક, સાહિત્ય અને રમત જગતમાં ભોસલેના યોગદાનને યાદ કરવામાં આવ્યા. તેમણે મંગળવારે રાતે ટ્વીટ કરીને કહ્યું કે ભોસલેના નિધન થકી કળા, રમત, સાહિત્ય અને સમાજમાં યોગદાન આપનાર શખ્સ આ વિશ્વમાંથી ચાલ્યો ગયો.
છત્રપતિ શિવાજીરાજે ભોસલેના ભત્રીજા અને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજ્યસભા સભ્ય ઉદયનરાજે ભોસલેએ જણાવ્યું હતું કે તેમનો પાર્થિવ શરીર બુધવારે સતારાના અદાલતવાડામાં રાખવામાં આવશે જેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી શકે.