15 December, 2011 10:16 AM IST |
આરતીનો કેસ પહેલાં દહિસર પોલીસ તપાસી રહી હતી, પરંતુ આરતી જ્યાં કામ કરતી હતી ત્યાં ઝેર પીધું હોવાથી દહિસર પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો હોવાથી આ કેસ બોરીવલી પોલીસને ટ્રાન્સફર કર્યો હતો.
આરતીએ ઉંદર મારવાની દવા પીને સુસાઇડ કર્યું હતું. તેને સિદ્ધિવિનાયક હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેનું ગઈ કાલે મૃત્યુ થયું હતું. આરતી બોરીવલીમાં આવેલા નંદિની બ્યુટીપાર્લરમાં કામ કરતી હતી. આરતીનો થોડા વખતથી તેના ફિયાન્સે સાથે ઝઘડો ચાલતો હતો. થોડા દિવસ પહેલાં પણ ઝઘડો થયો હોવાને કારણે તે ફોન પણ રિસીવ નહોતો કરી રહ્યો એને કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.