ઘાટકોપરમાં ચોરે દુકાનનાં તાળાં તોડ્યાં, પણ ચોરી કરવામાં નિષ્ફળ

16 July, 2020 12:09 PM IST  |  Mumbai | Mumbai correspondent

ઘાટકોપરમાં ચોરે દુકાનનાં તાળાં તોડ્યાં, પણ ચોરી કરવામાં નિષ્ફળ

ઘાટકોપરમાં ચોરે દુકાનનાં તાળાં તોડ્યાં

ઘાટકોપરમાં-ઈસ્ટમાં સ્ટેશન રોડ પાસે આવેલી બે દુકાનનાં મંગળવારે રાતનાં તાળાં તૂટ્યાં હતાં, જેમાં એક ફરસાણની દુકાન તો બીજી સ્કીન ક્લિનિકનો સમાવેશ થાય છે. ચોરી કરવા આવેલો ચોર ચોરી કરવામાં નિષ્ફળ રહ્યો હતો. દુકાનનાં માત્ર તાળાં જ તૂટ્યાં હતાં, ચોરી કોઈ પણ જાતની થઈ ન હોવાનું ઘાટકોપર પોલીસે જણાવ્યું હતું.

ઘાટકોપર-ઈસ્ટમાં જવાહર રોડ પર આવેલી બાબુભાઈ ફરસાણ અને એની બાજુમાં આવેલા એક ક્લિનિકમાં બુધવારે રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં ચોર માત્ર તાળાં તોડી શક્યો હતો, પણ ચોરી કોઈ વસ્તુની થઈ ન હતી.

પંતનગર પોલીસ સ્ટેશનના એક અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘ચોરીનો કોઈ પ્રકાર મંગળવાર અને બુધવારના દિવસમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયો નથી. એવું હોઈ શકે કે માત્ર તાળાં તૂટ્યાં હોવાથી દુકાનદાર ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવ્યો હોય.’

mumbai mumbai news ghatkopar