21 November, 2020 11:28 AM IST | Mumbai | Mumbai Correspondent
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી રેલવે પોલીસે રામ મંદિર સ્ટેશને અંપગ મહિલાનું પાકીટ ઝૂંટવીને ભાગી ગયેલા આરોપીની ૪ કલાકમાં ધરપકડ કરીને તેની પાસેથી ૧૦૦ ટકા રિકવરી કરીને મહિલાને પાછી આપી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આરોપીની નાલાસોપારાથી ધરપકડ કરવામાં આવી હતી.
બુધવારે ૪.૩૦ વાગ્યે એક અપંગ મહિલા વિલે પાર્લે રેલવે-સ્ટેશનથી કાંદિવલી જવા માટે ટ્રેનમાં ચડી હતી. રામ મંદિર સ્ટેશન નજીક આવતાં ટ્રેન ધીમી પડી ત્યારે બારી પાસે બેસેલી એ મહિલાના હાથમાં રાખેલું પાકીટ તફડાવીને એક યુવક ભાગી ગયો હતો. આરોપીએ પાકીટ ઝૂંટવ્યું એ વખતે મહિલાના મોઢા પર માર વાગ્યો હતો જેમાં તેને માઢામાંથી લોહી વહેવા માંડ્યું હતું. બોરીવલી રેલવે-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભાસ્કર પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આરોપીને શોધવા માટે અમે બધા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં, જેમાં નાલાસોપારા રહેતા સમાધાન સેડગેની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો. તેની પાસેથી પાકીટ લઈને મહિલાને આપવામાં આવ્યું છે.