વર-વધૂએ પાલઘરના કોરોના સેન્ટરને પચાસ બેડ ડોનેટ કર્યા

23 June, 2020 11:29 AM IST  |  Palghar | Agencies

વર-વધૂએ પાલઘરના કોરોના સેન્ટરને પચાસ બેડ ડોનેટ કર્યા

ફાઈલ તસવીર

પાલઘર જિલ્લાના એક વર-વધૂએ સ્થાનિક ચર્ચમાં તેમના લગ્ન સમારોહ પછી વસઈના એક કોવિડ કૅર સેન્ટરને ૫૦ બેડનું દાન આપીને અન્ય લોકો માટે એક દાખલો બેસાડ્યો છે.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસ પ્રેરિત લૉકડાઉનને કારણે લગ્નમાં ઘનિષ્ઠ ગણાય એવા માત્ર ૨૦ અતિથિઓને આમંત્રિત કર્યા હતા. લગ્ન બાદ ૨૮ વર્ષના એરિક લોબો અને ૨૭ વર્ષની મર્લિન ટસ્કાએ નજીકના કોવિડ કૅર સેન્ટરમાં ૫૦ બેડનું દાન આપ્યું હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. પાલઘરમાં વસઈ-વિરાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે, એમ જણાવતાં આ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે જિલ્લાના કુલ ૨૬૦૦ કોવિડ કેસમાંથી લગભગ ૨૦૦૦ કેસ વસઈ-વિરાર વિસ્તારમાં નોંધાયા છે.

coronavirus covid19 palghar lockdown mumbai news