04 July, 2020 12:09 PM IST | Mumbai | Mumbai correspondent
પ્રતીકાત્મક તસવીર
સમતાનગર પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર ભગીરથ આઢાવ (ઉં.વ.50)નું આજે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સૈન્યમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ કાંદિવલી પોલીસ લાઇનમાં રહેતા ભગીરથ આઢાવને 28 જૂને ચારકોપની ઑસ્કર હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ત્યાં તેમનું આજે સાંજે 4.30 વાગ્યે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. છેલ્લાં બે વર્ષથી તે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પત્ની, એક દીકરી અને એક દીકરાનો સમાવેશ થાય છે. ભગીરથ આઢાવના ભાઈ ચીમાજી આઢાવ પણ મુંબઈ પોલીસમાં છે અને હાલ કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર છે.