કોરોના ઈફેક્ટ: નાગપાડાની ક્વૉરન્ટીન માટેની હોટેલમાં આગ લાગી

22 April, 2020 10:02 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોના ઈફેક્ટ: નાગપાડાની ક્વૉરન્ટીન માટેની હોટેલમાં આગ લાગી

નાગપાડામાં લાગેલી આગ ઓલવી નાખ્યા બાદ કર્મચારીઓ અને રસ્તા પર ઊભા રહેલા ક્વૉરન્ટીન થયેલા દરદીઓ. તસવીર : બિપિન કોકાટે.

નાગપાડાના બેલાસિસ રોડ પર આવેલી હોટેલ રિપોનમાં ગઈ કાલે સાંજે ૬.૧૯ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની હોટેલના પહેલા માળ પર આગ લાગી હતી. હાલમાં જ એ હોટેલને કોરોનાગ્રસ્ત લોકોને ક્વૉરન્ટીન કરવા માટે ઉપયોગમાં લેવાઈ હતી અને એમાં ૨૫ દરદીઓને રાખવામાં આવ્યા હતા. આગ લાગ્યાની જાણ થતાં એ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા. આ આગમાં બે કર્મચારીઓ રૂમ-નંબર ૩૦૮માં ફસાઈ ગયા હતા તેમને પણ દાદરાના રસ્તે જઈને ફાયરબ્રિગેડના જવાનોએ બચાવી લીધા હતા.

mumbai mumbai news nagpada coronavirus