25 March, 2020 02:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
મંગળવારે રાત્રે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આખા ભારત દેશમાં 21 દિવસ એટલે 14 એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કર્યું છે. આ જાહેરાતને લીધે નાગરિકો ગભરાઈ ગયા છે અને અનાજ તેમજ દવાઓ સ્ટોક કરવા દુકાનો અને મેડિકલ ર્સ્ટોસમાં લાંબી લાંબી લાઈનો લગાડી દીધી હતી. એટલે ગૃહ મંત્રાલયે સુચી જાહેર કરી છે કે આ 21 દિવસના લૉકડાઉન દરમ્યાન જીવન જરૂરિયાતની કઈ વસ્તુઓ ખુલ્લી રહેશે તે જણાવવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દુકાનો અને મેડિકલની બહાર ભેગા થઈને તમે કોરોના વાયરસ (COVID-19) ફેલાવવાનું વધુ રિસ્ક ઊભું કરો છો. ગભરાઈને બધુ ખરીદવાની જરૂર નથી. હું ખાતરી આપુ છું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કાળજી લેશે કે તમને જીવનજરૂરિયાતની બધી જ વસ્તુઓ મળી રહે.'
ગૃહ મંત્રાલયે જાહેર કરેલી સુચી:
શું બંધ રહેશે?
- ટ્રેન, હવાઈ મુસાફરી, રોડ માર્ચ બધા જ પરિવહનો બંધ રહેશે. મુંબઈમાં આવશ્યક સેવાઓ પુરી પાડતા લોકો માટે ફક્ત બેસ્ટની સેવા ચાલુ રહેશે અને પ્રવાસ પહેલા દરેક વ્યક્તિના આઈ કાર્ડ તપાસવામાં આવશે. બધી જ લાઈનમાં રેલવેની સેવા પણ બંધ કરવામાં આવી છે
- બધી જ સરકારી કચેરીઓ બંધ. મહારાષ્ટ્ર સરકારની ઑફિસો ફક્ત પાંચ ટકા કર્મચારીઓ સાથે કામ કરશે
- ખાનગી અને વ્યાપારી મથકો
- શૈક્ષણિક સંસ્થાઓ
- ઔદ્યોગિક સંસ્થાઓ
- બધા જ ધર્મસ્થળો, ફક્ત પુજારીઓને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે
- બધા જ સામાજીક, ધાર્મિક, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતના કાર્યક્રમો
શું ખુલ્લુ રહેશે?
- બેન્ક, ઈન્શ્યોરન્સ ઓફિસ, એટીએમ
- વીજળી, પાણી, સ્વચ્છતાની ઓફિસ
- પાલિકાની ઓફિસો પણ ફક્ત આવશ્યક સેવાઓ માટે જ જેમ કે સ્વચ્છતા કર્મચારીઓ
- રેશનની દુકાન, કરિયાણાની દુકાન, ફળ અને શાકભાજી, ડેરી અને દુધની દુકાન, માંસ અને માછલીની દુકાન, પશુઓનો ચારો વગેરેની દુકાનો ખુલ્લી રહેશે
- ઈન્ટરનેટ સેવા
- ઈ-કોર્મસ દ્વારા ખોરાક, ફાર્માસ્યુટિકલ, મેડિકલની ચીજ વસ્તુઓ સહિત જીવનજરૂરી વસ્તુઓની ડિલેવરી કરવામાં આવશે
- પેટ્રોલ પંપ
- શીત ઘર
- પરિવહન ફક્ત આવશ્યક વસ્તુઓ માટે જ
જીવનજરૂરી વસ્તુઓ મળતી હોવાથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.