09 April, 2020 10:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
ધારાવીમાં આજે 70 વર્ષની વૃધ્ધાનું મૃત્યુ થતા કોરોનાને લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા બે થઈ ગઈ છે. પાલિકાના અધિકારીએ આપેલી માહિતિ મુજબ, મહિલાનો કોરોના વાયરસ (COVID-19)નો રીપોર્ટ પોઝેટિવ હતો. અત્યાર સુધી ધારાવીમાં નવ કેસ પોઝેટિવ આવ્યા છે. આજે મુકુંદ વિસ્તારમાં અને ધનવાડા ચાલ પ્રત્યેકમાં એક વ્યક્તિનો ટેસ્ટ પોઝેટિવ આવ્યો હતો.
કોરોના વાયરસનો ચેપ વધતો જતો હોવાથી પાલિકાએ આ વિસ્તારની બધી જ દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. પાલિકાના સંવેદનશીલ વિસ્તારોમાં ફળ અને શાકભાજીની દુકાનો અને ફેરિયાઓ પણ હવે બંધ રાખવામાં આવશે. દવાની દુકાનો જેમ છે તેમ જ ચાલુ રહેશે. પાલિકાના અધિકારીઓએ વચન આપ્યું છે કે રહેવાસીઓએ ચિંતા કરવાની જરૂરૂ નથી. જરૂરી સામાન તેમના ઘર સુધી પહોચાડવામાં આવશે.
ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી છે અને અહીં લાખોની સંખ્યામાં લોકો રહે છે.