26 February, 2021 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર (તસવીર: સુરેશ કારકેરા)
કોવિડ-19ના કેસમાં ફરી ઉછાળો આવવાને પગલે શહેરની સુધરાઈએ આજથી ઐતિહાસિક ઓવલ મેદાનને બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. કોરોના વાઇરસનો પ્રસાર વધવાને લીધે સાવચેતીના પગલારૂપે રોગનો પ્રસાર ડામવા આગામી આદેશ સુધી દક્ષિણ મુંબઈસ્થિત આ મેદાનમાં ખેલકૂદની કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ કરવાની પરવાનગી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું બીએમસીનાં ‘એ’ વૉર્ડનાં અધિકારી ચંદા જાધવે જણાવ્યું હતું.