કોરોનાનો કહેર: વાયરસને લીધે મુંબઈમાં પહેલી વ્યક્તિનું મૃત્યુ

17 March, 2020 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાનો કહેર: વાયરસને લીધે મુંબઈમાં પહેલી વ્યક્તિનું મૃત્યુ

કસ્તુરબા હૉસ્પિટલની ફાઈલ તસવીર

મુંબઈમાં કોરોના વાયરસ (કોવિડ-19) ને કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું છે. આ સાથે જ દેશમાં કુલ મરણાંક ત્રણ સુધી પહોચ્યો છે.

મુંબઈના 64 વર્ષીય વ્યક્તિનું આજે સવારે (મંગળવારે) કસ્તુરબા હૉસ્પિટલમાં  કોરોના વાયરસને લીધે મૃત્યું થયું છે. કોરોના વાયરસને કારણે મૃત્યુ થયું હોય તેવો આ મુંબઈમાં પહેલો બનાવ છે.

આ પહેલા કોરોના વાયરસને લીધે દિલ્હી અને કર્ણાટક પ્રત્યેક શહેરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી દેશમાં ત્રણ જણનું આ વાયરસને લીધે મૃત્યુ થયું છે. કેન્દ્રિય આરોગ્ય વિભાગે આપેલી માહિતિ મુજબ, મંગળવાર સવાર સુધીમાં દેશમાં કોરોનાના 125 પૉઝેટિવ કેસ નોંધાયા હતા.

coronavirus mumbai mumbai news