24 December, 2011 05:01 AM IST |
આરડીસીએએ કહ્યું હતું કે ‘પહેલાં આરબીઆઇ વેપારી સંગઠનોને ડાયરેક્ટ સિક્કા આપતી હતી, પરંતુ હવે એ બૅન્કને સિક્કા આપે છે અને અમારે બૅન્ક પાસેથી સિક્કા મેળવવા પડે છે. બૅન્કોએ પણ હાલ સિક્કા આપવાનું બંધ કરી દીધું છે. આથી સિક્કાઓ મેળવવા માટે અમારે મંદિરોમાં જવું પડે છે અથવા બ્લૅકમાર્કેટનો આશ્રય લેવો પડે છે. બ્લૅકમાર્કેટમાં સિક્કાઓની રેલમછેલ છે. જોકે તેમની પાસેથી સિક્કા મેળવવાના બદલામાં તેમને ૧૨.૫ ટકા વધુ રકમ ચૂકવવી પડે છે.’
સિક્કાઓની અછત વિશેના વેપારીઓના દાવાને આરબીઆઇએ નકારી કાઢ્યો હતો. આરબીઆઇએ જણાવ્યું હતું કે ‘હાલ દેશમાં ૧૧૨.૧૮૪ અબજ સિક્કાઓ ફરી રહ્યા છે. આ મુજબ વ્યક્તિદીઠ ૯૪ સિક્કા થાય. મુંબઈમાં પણ સિક્કાઓની જરાય અછત નથી. સંગ્રહખોરીને કારણે સિક્કાઓની અછત વર્તાઈ રહી છે.’