પોઇસર જિમખાનામાં ગીતાજયંતીની ઉજવણી

08 December, 2022 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેલા સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ આ પ્રસંગે લોકોને જીવનમાં ગીતાની શિક્ષા કેટલી જરૂરી છે એ વિશે જણાવ્યું હતું

પોઇસર જિમખાનામાં ગીતાજયંતીની ઉજવણી

કાંદિવલી-વેસ્ટના પોઇસર જિમખાનાએ ઇસ્કૉન-જુહુના સહયોગમાં શનિવાર, ૩ ડિસેમ્બરે ગીતાજયંતીની ઉજવણી કરી હતી. ઇસ્કૉન અને અન્ય જાણીતી સંસ્થાઓના સંતો એચસી બ્રજહરિદાસજી, એચસી ભીમાદાસજી, એચસી કૃષ્ણભજનદાસજી, કપિલ શાસ્ત્રીજી, વીરેન્દ્ર યાજ્ઞિકજી, જિતેન્દ્ર દવેજી, નલિન શાસ્ત્રીજી અને રાજકુમાર મહારાજ પધાર્યા હતા અને બધાને સંબોધિત કર્યા હતા. ભગવદ્ગીતા શિક્ષા અભિયાન કમિટીના ચૅરમૅન યોગેશ દુબેએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેલા સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ આ પ્રસંગે લોકોને જીવનમાં ગીતાની શિક્ષા કેટલી જરૂરી છે એ વિશે જણાવ્યું હતું. મહિલા વિધાનસભ્ય મનીષા ચૌધરી પણ ગેસ્ટ ઑફ ઑનર તરીકે હાજર રહ્યાં હતાં. આ પ્રસંગને સફળ બનાવવા પોઇસર જિમખાનાના પ્રેસિડન્ટ મુકેશ ભંડારી, વાઇસ પ્રેસિડન્ટ કરુણાકર એસ. શેટ્ટી અને સંજય શાહ, ટ્રસ્ટી હર્ષદ મહેતા, જનરલ સેક્રેટરી નિષાદ કોરા, સેક્રેટરી મનન પારેખ અને અન્ય કમિટી મેમ્બરોએ મહેનત લીધી હતી. 

mumbai mumbai news