સ્તન-કૅન્સર વિશે જાગૃતિ ફેલાવવા પિન્કેથૉન યોજાઈ

17 December, 2012 04:54 AM IST  | 

સ્તન-કૅન્સર વિશે જાગૃતિ ફેલાવવા પિન્કેથૉન યોજાઈ

છેલ્લાં કેટલાંક વર્ષોથી નિયમિત યોજાતી આ દોડમાં મહિલાઓને થતા સ્તન-કૅન્સરની માહિતી અને એને કઈ રીતે રોકી શકાય, એની સારવાર શું હોય એ વિશે માહિતી આપવામાં આવે છે અને એ વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે. ગઈ કાલે યોજાયેલી આ દોડમાં સહભાગી થયેલી મહિલા-રનર્સને બિરદાવવા અને તેમનો ઉત્સાહ વધારવા બૉલીવુડની અભિનેત્રી કરિશ્મા કપૂર, તારા શર્મા, લિસા હેડન તેમ જ ઍક્ટર અને મૉડલ મિલિંદ સોમણ હાજર રહ્યાં હતાં. તારા શર્માએ આ દોડમાં ભાગ પણ લીધો હતો. આ દોડ ત્રણ કૅટેગરીમાં થઈ હતી : ત્રણ કિલોમીટર, પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર.

તસવીરો : શાદાબ ખાન