બોરીવલી સ્ટેશન પર પણ બનશે ઇમર્જન્સી મેડિકલ રૂમ

07 October, 2011 05:06 PM IST  | 

બોરીવલી સ્ટેશન પર પણ બનશે ઇમર્જન્સી મેડિકલ રૂમ

 

એમાં બોરીવલી રેલવે-સ્ટેશન સહિત અનેક મેઇન સ્ટેશનોનો સમાવેશ થાય છે. હાલમાં ઇમર્જન્સી મેડિકલ રૂમ સેન્ટ્રલ રેલવેના દાદર રેલવે-સ્ટેશન પર માર્ચ મહિનાથી ઈજા પામેલા લોકોને સારવાર મળે એ માટે શરૂ કરવામાં આવ્યો છે.

જીઆરપીના કમિશનરે સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેના સત્તાવાળાઓને લેટર લખીને ભલામણ કરી હતી, જેમાં છ રેલવે-સ્ટેશનો પર ઇમર્જન્સી મેડિકલ રૂમ બનાવવાનું સજેશન આપ્યું હતું. એમાં વેસ્ટર્ન રેલવેમાં બોરીવલી, વસઈ અને પાલઘર જેવાં રેલવે-સ્ટેશનનો સમાવેશ થાય છે; જ્યારે સેન્ટ્રલ રેલવેનાં થાણે, કુર્લા અને કલ્યાણ જેવાં રેલવે-સ્ટેશનનો સમાવેશ થાય છે.

જીઆરપીના કમિશનર પ્રભાત કુમારે આ વિશે જણાવ્યું હતું કે ‘ઈજા પામેલી વ્યક્તિની જિંદગી બચાવવા માટે ગોલ્ડન અવર (એક કલાકનો સમય) ખૂબ જ મહkવનો હોય છે. જો જલદી મેડિકલ સારવાર મળે તો ઘણા લોકોની જિંદગી બચી શકે છે. જે છ સ્ટેશનો પર ઇમર્જન્સી મેડિકલ રૂમ ઊભો કરવાનું સજેશન આપવામાં આવ્યું છે એ સેક્શનમાં ભૂતકાળમાં ઍક્સિડન્ટ ખૂબ જ થતા આવ્યા હતા.’

એક રેલવે-ઍક્ટિવિસ્ટે કરેલી જનહિતની અરજી પર દાદર પર ઇમર્જન્સી મેડિકલ રૂમ શરૂ કરવાનો મુંબઈ હાઈ કોર્ટે રેલવેના સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો, જેથી ઈજા પામેલી વ્યક્તિને તરત જ સારવાર મળી રહે. હાઈ કોર્ટનો આદેશ હતો કે દાદર રેલવે-સ્ટેશન પર બનાવવામાં આવેલા અત્યાધુનિક મેડિકલ રૂમને પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવે અને ત્યાર પછી એ મૉડલને અડૉપ્ટ કરીને બીજાં સ્ટેશનો પર બનાવવામાં આવે.