મુંબઈ ઍરપોર્ટ પર વ્હીલચૅર ન મળે?

22 April, 2025 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે હાઈ કોર્ટે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન પાસેથી જવાબ માગ્યો

પ્રતીકાત્મક તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) પાસે ઍરપોર્ટ પર વ્હીલચૅર જેવી સામાન્ય સુવિધા ઉપલબ્ધ ન હોવાની બાબતે જવાબ માગ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો માટે ઍરપોર્ટ પર યોગ્ય સુવિધા હોવી જ જોઈએ, કારણ કે એ માનવીની જિંદગી સાથે જોડાયેલા પ્રશ્નો છે. જસ્ટિસ જી. એસ. કુલકર્ણી અને અદ્વૈત સેઠનાની ખંડપીઠે ઍરપોર્ટ પર યોગ્ય સુવિધાઓ ન હોવાની બે જુદી-જુદી અરજીઓ પર સુનાવણી કરતાં જણાવ્યું હતું કે ‘પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધિ બાબતે ઍરપોર્ટ મૅનેજમેન્ટ અને દરેક ઍરલાઇન્સે સંવેદનશીલ બનવું જોઈએ. માનવજીવનની કાળજી રાખવી જોઈએ. એક પણ મુસાફરને હાલાકી ભોગવવી ન પડે અને દેશમાં તમામ ઍરલાઇન્સ હાઇએસ્ટ ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડનું પાલન કરે એ જરૂરી છે.’

મુંબઈના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર વ્હીલચૅરની સુવિધા ન હોવાની બાબતે એક અરજદારે જણાવ્યું હતું કે તેમની દીકરીને ઍક્યુટ આર્થ્રાઇટિસ હોવાને કારણે ૮૧ વર્ષનાં એક મહિલાએ તેમની વ્હીલચૅર આ દીકરીને આપવી પડી હતી, કારણ કે ઍરપોર્ટ પર બીજી વ્હીલચૅર ઉપલબ્ધ નહોતી. આના જવાબમાં DGCAએ વ્હીલચૅરના ઓવરબુકિંગનું બહાનું આગળ ધર્યું હતું, પરંતુ અદાલતે એને માન્ય ન રાખતાં આવી નિષ્કાળજી માટે ઍરલાઇન્સને ભારે પેનલ્ટી ફટકારવાનું સૂચન કર્યું હતું.

bombay high court mumbai airport travel travel news news mumbai mumbai news