29 August, 2012 05:51 AM IST |
હકીકતમાં સોમવારે અશોક ચવાણ દ્વારા અરજી કરીને તેમની વિરુદ્ધનો કેસ પડતો મૂકવાની ડિમાન્ડ કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની સામે આ કેસ રાજકીય કિન્નાખોરીને કારણે કરવામાં આવ્યો હતો અને એની તપાસ કરી રહેલી સીબીઆઇ પાસે પણ પૂરતા કાયદાકીય પુરાવાઓ નથી. આ ઍપ્લિકેશન સાથે ઍક્ટિવિસ્ટ પ્રવીણ વાટેગાવકર અને સિમપ્રીત સિંહની જાહેર હિતની અરજીઓ પણ હતી અને આ તમામની ગઈ કાલે સુનાવણી હતી, પણ આ સુનાવણી સામે જ ડિવિઝનલ બેન્ચે વાંધો ઉઠાવ્યો હતો. આ સુનાવણી વખતે ડિવિઝનલ બેન્ચના જજિઝ જસ્ટિસ એસ. એ. બોરાડે અને આર. જી. કેતકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે તેઓ આ સુનાવણી કરી શકે એમ નથી.
સીબીઆઇ = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન