01 October, 2021 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શહેરના રસ્તાઓ ભરતી સુધરાઈ
મુંબઈના રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે લોકોમાં ભારે નારાજગી છે ત્યારે એ નારાજગીની અસર આવનારી બીએમસીની ચૂંટણી પર ન પડે એ માટે હાલ શિવસેનાની બહુમતી ધરાવતી બીએમસી ઍક્શન મોડમાં આવી ગઈ છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ અને મેયર કિશોરી પેડણેકરે બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલને વહેલી તકે ખાડા પૂરવા અલ્ટિમેટમ આપી દીધું છે. એથી હાલ યુદ્ધના ધોરણે ખાડા પૂરવાનું કામ ચાલુ કરાયું છે. ગઈ કાલે મુંબઈમાં કુલ ૫૭૫ ખાડા પૂરવામાં આવ્યા હતા. ગઈ કાલે સૌથી વધુ ૫૫ ખાડા ચેમ્બુર, દેવનાર વિસ્તારને આવરી લેતા વૉર્ડમાં પૂરવામાં આવ્યા હતા.