નવરાત્રિમાં બેસ્ટે આપી મુંબઈગરાને બેસ્ટ ગિફ્ટ

27 September, 2022 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દશેરા સુધી ૧૯ રૂપિયામાં કોઈ પણ રૂટની એસી તેમ જ નૉન-એસી બસમાં ૧૦ વાર ટ્રાવેલ કરી શકાશે

ફાઇલ તસવીર

લાખો મુંબઈગરાની માનીતી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ દ્વારા મુંબઈગરાને નવરાત્રિની એક ખાસ ભેટ આપવામાં આવી છે. આ વિશે માહિતી આપતાં બેસ્ટના પ્રવક્તા મનોજ વરાડેએ ​‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ વિશેષ દશેરા સ્કીમ હેઠળ ‘ચલો’ ઍપ દ્વારા ૧૯ રૂપિયાની ટિકિટ કઢાવવાની રહેશે. એ ટિકિટહોલ્ડર ૨૬ સપ્ટેમ્બરથી પાંચ ઑક્ટોબરે દશેરા દરમિયાન બેસ્ટની કોઈ પણ રૂટની એસી તેમ જ નૉન-એસી બસમાં ૧૦ વાર ટ્રાવેલ કરી શકશે, પછી એ ગમે તે ડિસ્ટન્સ હોય - ફર્સ્ટ સ્ટૉપથી લાસ્ટ સ્ટૉપ. જો તમે વચ્ચે ઊતરી ગયા તો એ એક વખતનો પ્રવાસ ગણાશે. બસનું મિનિમમ ભાડું પાંચ રૂપિયા છે ત્યારે ૧૯ રૂપિયામાં ૧૦ વખત પ્રવાસ કરવા મળે એ ખરેખર મુંબઈગરા માટે ફાયદાનો સોદો રહેશે.’ ખરેખર તો જે લોકો પરિવાર સાથે માતાજીનાં દર્શને જવા માગતા હોય તેમને બેસ્ટે સારો મોકો આપ્યો છે. 

mumbai mumbai news navratri brihanmumbai municipal corporation