21 November, 2012 05:57 AM IST |
શિવસેનાએ આપેલી માહિતી મુજબ બાળ ઠાકરેનાં અસ્થિનું વિસર્જન ગંગા અને ગોદાવરી જેવી પવિત્ર નદીઓની સાથે જ હરિહરેશ્વર જેવાં પવિત્ર સ્થળોએ કરવામાં આવશે. ગઈ કાલે સેનાભવનમાંથી દેશમાં ૩૫૧ ઠેકાણે મૂકવામાં આવનારા અસ્થિકળશોનું શિવસેનાના જિલ્લાપ્રમુખ તેમ જ ભારતનાં તમામ રાજ્યોના પ્રમુખોને વિતરણ કરવામાં આવ્યું હતું. શિવસૈનિકો આજે અને આવતી કાલે બે દિવસ માટે મુંબઈ-મહારાષ્ટ્ર સહિત ભારતના તમામ શિવસેનાની ઑફિસોમાં અસ્થિકળશનાં દર્શન કરી શકશે. ત્યાર બાદ ૨૩ નવેમ્બરે મુંબઈ-મહારાષ્ટ્ર સહિત હરિહરેશ્વર, નાશિક, હરિદ્વાર, કાશી, કન્યાકુમારી વગેરે સ્થળો પર અસ્થિવિસર્જન કરવામાં આવશે.