ટીમ અણ્ણા વિખેરાઈ જતાં દેશના લોકોનો માથાનો દુખાવો દૂર થયો : બાળ ઠાકરે

09 August, 2012 05:07 AM IST  | 

ટીમ અણ્ણા વિખેરાઈ જતાં દેશના લોકોનો માથાનો દુખાવો દૂર થયો : બાળ ઠાકરે

 

સૌથી પહેલાં દેશવાસીઓને મૂરખ બનાવવામાં તેઓ સફળ રહ્યા. તેમની ટીમ તો બહુ પહેલાં જ વિખેરાઈ જવી જોઈતી હતી. જોકે ટીમ વિખેરાઈ ગઈ છે ત્યારે સવાલ એ થાય છે કે તેમની ટીમ નવા બંધારણ સાથે નવેસરથી બનશે? ભ્રષ્ટાચારની વાત બાજુએ રહી, ઊલ્ટાનું તેમની ટીમે તો દેશને ટૉર્ચર જ કર્યો છે. તેમની ટીમ વિખેરાઈ જતાં આપણા દેશના લોકોનો માથાનો દુખાવો દૂર થઈ ગયો છે એટલું જ નહીં, ખુદ અણ્ણા પોતે પણ રાહત અનુભવી રહ્યા હશે. ટીમ અણ્ણાને લીધે આપણા દેશનું બંધારણ જોખમમાં આવી ગયું હતું.’