18 December, 2012 06:02 AM IST |
આ ઘટના બાદ ખૂબ જ આઘાત પામેલી અવનિની મમ્મી લતા બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અવનિ કામ પરથી રાતે દસ વાગ્યાની આસપાસ ઘરે ન આવતાં અમે ચિંતામાં મુકાઈ ગયાં હતાં. અમે તેના બધા મિત્રો અને અમારા સંબંધીઓનો સંપર્ક કર્યો, પણ કોઈને કંઈ માહિતી નહોતી. અવનિના પપ્પાને ત્રણ વર્ષ પહેલાં લકવો થવાથી તેઓ ઘરે જ છે. હું કેટરિંગવાળાને ત્યાં પૂરી વણવાનું કામ કરું છું. મારો નાનો દીકરો બારમા ધોરણમાં ભણે છે.
અમે મા-દીકરી મહેનત કરીને ઘર ચલાવતાં હતાં. પોલીસ હવે કેબલ પર પણ અનાઉન્સ કરવાની છે. અવનિ ઘરેથી નીકળી ત્યારે રોજની જેમ નીકળી હતી. તેને કોઈ પણ પ્રકારની માનસિક તાણ કે પછી બીજો કોઈ પ્રૉબ્લેમ નહોતો, કેમ કે અમે ફ્રેન્ડની જેમ રહેતાં હતાં. અવનિ અમારા ઘરનો આભારસ્તંભ હતી. ’