27 July, 2012 05:21 AM IST |
રંજનબહેનના ૪૯ વર્ષના પુત્ર અને જાણીતા નાટ્યલેખક મિહિર ભુતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારાં મમ્મીને ગઈ કાલે આઇસીયુમાં મળવા ગયો હતો. બે મહિના પહેલાં પણ અમારા ઘરે પેઇન્ટિંગનું કામ કરવામાં આવ્યું હતું. મારી મમ્મીએ મને કહ્યું હતું કે ગઈ કાલે તે જ પેન્ટર તેના બે સાથીદારો સાથે ઘરે આવ્યો હતો. એ વખતે તેણે મમ્મી પાસે પીવા માટે પાણી માગ્યું હતું એથી તેમણે તેને લોટામાં પાણી આપ્યું હતું. પાણી પીધા બાદ તેઓ અચાનક મમ્મીનું ગળું દબાવવા લાગ્યા અને તેમના માથા પર લોટા વડે માર્યું હતું. દરમ્યાન મમ્મી બેભાન થઈ ગઈ હતી, પણ અડધો કલાક બાદ હોશ આવતાં તેમણે મારી વાઇફને ફોન કરીને બોલાવી લીધી હતી.’
તેમને કાંદિવલીમાં આવેલી એક હૉસ્પિટલમાં બપોરના બે વાગ્યે આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સદ્નસીબે તેમનો જીવ બચી ગયો હતો.
આઇસીયુ = ઇન્ટેન્સિવ કૅર યુનિટ