અમર જવાન સ્મારકનું અપમાન કરનારા બદમાશોને પકડાવવા રાજ પુરોહિત તરફથી ૧ લાખ રૂપિયાનું ઇનામ

17 August, 2012 08:26 AM IST  | 

અમર જવાન સ્મારકનું અપમાન કરનારા બદમાશોને પકડાવવા રાજ પુરોહિત તરફથી ૧ લાખ રૂપિયાનું ઇનામ

 

આવતી કાલે આ પ્રોટેસ્ટ માર્ચ મેટ્રો સર્કલથી આઝાદ મેદાન પહોંચશે અને એમાં મોટી સંખ્યામાં મુંબઈગરાને જોડાવાની અપીલ કરતાં બીજેપીના મુંબઈ પ્રમુખ રાજ પુરોહિતે ગઈ કાલે કહ્યું હતું કે ‘આસામના માર્ગે આપણા દેશમાં મોટી સંખ્યામાં ઘૂસી ગયેલા બંગલાદેશીઓ આઝાદ મેદાન પર થયેલાં તોફાનો માટે જવાબદાર છે. અમે આ પૂરા બનાવની યોગ્ય રીતે તપાસ કરવાની માગણી કરી છે.’

 

 

મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલય પાસે આવેલા અમર જવાન મેમોરિયલને જે બે લોકો નુકસાન પહોંચાડવા માગતા હતા તેમને શોધી આપનારાઓ માટે પર્સનલ લેવલ પર એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ રાજ પુરોહિતે ગઈ કાલે કરી હતી.