25 November, 2011 09:00 AM IST |
દરમ્યાન આ ઘટનામાં શિવસેનાના નેતા અરવિંદ વાલેકર પરના હુમલાના પ્રકરણમાં અંબરનાથની શિવાજીનગર પોલીસે શિવસેનાના નેતા ગુલાબરાવ કરંજુલેની અટકાયત કરી હતી. આ ઉપરાંત આરપીઆઇ (રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા)ના બે નેતા તથા રિટાયર્ડ એસીપી (અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ) પણ શંકાના ઘેરામાં છે. વ્યવસાયે બિલ્ડર ગુલાબરાવની અરવિંદ વાલેકર સાથે રાજકીય દુશ્મનાવટ હતી. બીજી તરફ આરપીઆઇના નેતા તથા નગરસેવક શ્યામ ગાયકવાડ તથા કબીર ગાયકવાડ જે નરેશ ગાયકવાડના પુત્ર છે તેમના પર પણ શંકા છે. આ બન્નેમાંથી કબીર છેલ્લા ચાર દિવસથી હૉન્ગકૉન્ગમાં છે. આ ઉપરાંત ગુલાબરાવ કરંજુલેના સસરા રિટાયર્ડ એસીપી રમેશ ભગત ઉર્ફે મામા પર પણ શંકા છે.