અણ્ણા હઝારે ઇચ્છે છે તેમની મૂવમેન્ટ માટે આમિરની મદદ

29 October, 2012 05:55 AM IST  | 

અણ્ણા હઝારે ઇચ્છે છે તેમની મૂવમેન્ટ માટે આમિરની મદદ

આમિર ખાન હજ કરીને પાછો આવે એ પછી તેઓ તેની સાથે વાત કરશે. ‘સત્યમેવ જયતે’ જેવા જનજાગૃતિના કાર્યક્રમથી આમિર ખાને લોકમાનસમાં એક ખાસ જગ્યા બનાવી છે એટલે કદાચ અણ્ણા હઝારે તેને તેમની મૂવમેન્ટમાં સામેલ કરવા માગે છે. ગયા વર્ષે અણ્ણા હઝારેએ મજબૂત લોકપાલ માટે નવી દિલ્હીમાં લડત ચલાવી હતી ત્યારે આમિર ખાન તેમને મળવા સ્ટેજ પર ગયો હતો. ભ્રષ્ટાચારવિરોધી મેકૅનિઝમ ઊભી કરવા આમિર ખાને વડા પ્રધાનને પત્ર પણ લખ્યો હતો. ટીમ અણ્ણાને વિખેરી નાખ્યા બાદ હવે અણ્ણા હઝારે નવી ટીમ બનાવવા માગે છે એવા સમયે જો આમિર ખાન જેવા સ્ટારનો સાથ મળે તો અણ્ણા હઝારેની લડતને એક નવો આયામ મળશે.