અંધેરીચા રાજાનું વિસર્જન આજે વર્સોવામાં

04 October, 2012 05:32 AM IST  | 

અંધેરીચા રાજાનું વિસર્જન આજે વર્સોવામાં

આ બાબતે માહિતી આપતાં આઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રકાશ રાસકરે કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યે તેમની વિસર્જનયાત્રા શરૂ થઈ હતી, જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ગઈ કાલે ફિલ્મ-અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ અંધેરીચા રાજાનાં દર્શન કર્યા હતાં. જોકે એ પહેલાં મંગળવારે શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તેમનાં વાઇફ શર્મિલા ઠાકરે સાથે આવ્યા હતા. અંધેરીચા રાજાના વિસર્જન પહેલાં દર્શન કરવા ભક્તોએ પણ લાંબી લાઇન લગાવી હતી. અંધેરી (વેસ્ટ)ના મોટા ભાગના વિસ્તારોમાં ફરતી અંધેરીચા રાજાની આ વિસર્જનયાત્રા ૧૨થી ૧૫ કલાકે વર્સોવા પહોંચે છે. એ માટે ખાસ અંધેરી માર્કે‍ટમાંથી રસ્તો પણ કરવામાં આવે છે.’