આગ્રીપાડાચા રાજાનું ૨૧ દિવસે વિસર્જન

10 October, 2012 05:29 AM IST  | 

આગ્રીપાડાચા રાજાનું ૨૧ દિવસે વિસર્જન

આ બાબતે આગ્રીપાડા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના પ્રેસિડન્ટ વિનોદ શર્કિ‍એ કહ્યું હતું કે ‘અત્યારે રીડેવપલમેન્ટ થઈ રહેલી સોસાયટીના સભ્યોએ આ બાબતે સોમવારે રાત્રે મીટિંગ કરી હતી અને એમાં તેમણે ત્યાર બાદ લેખિતમાં ઍફિડેવિટ કરીને એનઓસી લખી આપ્યું હતું. એમાં તેમણે જણાવ્યું છે કે ગણપતિ માટેના સ્ટેજની જગ્યા આગ્રીપાડા સાર્વજનિક ગણેશોત્સવ મંડળને આપવામાં આવે એ બદલ તેમનો કોઈ વિરોધ નથી. આ એનઓસી બાદ અમારા મંડળના સભ્યો અને આગ્રીપાડાના રહેવાસીઓએ એક મીટિંગ કરી હતી જેમાં ગઈ કાલે વહેલી સવારે સાડાત્રણ વાગ્યે આખરે એ ઍક્સેપ્ટ કરીને ગણપતિના વિસર્જનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’