સુશાંત સિંહ રાજપૂત કેસ: એમ્સના રિપોર્ટ પર મુંબઇ પોલીસનું નિવેદન

05 October, 2020 05:34 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂત કેસ: એમ્સના રિપોર્ટ પર મુંબઇ પોલીસનું નિવેદન

સુશાંત સિંહ રાજપૂત (ફાઇલ ફોટો)

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Bollywood Actor Sushant Singh Rajput)ના નિધન મામલે એમ્સ (AIIMS)ના ડૉક્ટરના રિપોર્ટ્સ (Reports)સામે આવ્યા પછી મુંબઇ પોલીસ કમિશનર (Mumbai Police Commissioner) પરમબીર સિંહ (Parambir Singh)નું નિવેદન (Statement)સામે આવ્યું છે. પરમબીર સિંહં કહ્યું કે તેમને આ રિપોર્ટ (Reports)થી આશ્ચર્ય નથી થયું. તેમણે કહ્યું કે કેટલાક લોકોએ 'ખાનગી સ્વાર્થ'ને કારણે તપાસ વિશે કોઇપણ માહિતી વગર મુંબઇ પોલીસ (Mumbai Police) પર નિશાનો સાધ્યો.

એમ્સના રિપોર્ટ પર અમને આશ્ચર્ય નથી: પોલીસ આયુક્ત
મુંબઇ પોલીસ આયુક્ત પરમબીર સિંહે કહ્યું કે તેમને આ રિપોર્ટ પર કોઇ જ આશ્ચર્ય નથી. કૂપર હૉસ્પિટલની ટીમનું પણ આ જ નિષ્કર્ષ હતું. તેમણે આગળ કહ્યું કે તે બધા જેમણે કોઇપણ માહિતી વગર અમારી ઇન્વેસ્ટિગેશનની ટીકા કરી, વિભિન્ન ચેનલ્સ પર જઈને ટિપ્પણીઓ કરી. તેમને તે પડકાર આપે છે કે તપાસમાં જજે પણ સીક્રેટ્સ તેઓ જાણે છે તેનો ખુલાસો કરે. કેટલાક લોકોએ પોતાના પર્સનલ સ્વાર્થ અને પ્રેરિત અભિયાન હેઠળ આવું કર્યું.

mumbai mumbai news mumbai police sushant singh rajput bollywood bollywood news