ઍરપોર્ટનાં બન્ને ટર્મિનલોને જોડતી એસી બસ-સર્વિસનો આજથી પ્રારંભ

07 April, 2022 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રવાસીઓ પાસેથી એક ફેરી માટે ૫૦ રૂપિયા ભાડું લેવામાં આવશે.

ફાઇલ તસવીર

છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી દેશમાં તેમ જ વિદેશમાં અનેક ફ્લાઇટ જતી હોય છે. ઍરપોર્ટ પર ઇન્ટરનૅશનલ તેમ જ ડોમેસ્ટિક ટર્મિનલ અલગ-અલગ હોવાથી અનેક પ્રવાસીઓને એક ટર્મિનલ પરથી બીજા ટર્મિનલ પર જવાની જરૂર પડે છે. આવા પ્રવાસીઓ માટે આ બન્ને ટર્મિનલ પર જવા માટે કિફાયતી દરે એસી બસ-સર્વિસ આજથી શરૂ કરવામાં આવી છે. આ સર્વિસ બન્ને ટર્મિનલ પર સામાન્ય રીતે ૨૦થી ૩૦ મિનિટના અંતરે આખું સપ્તાહ ૨૪ કલાક માટે કાર્યરત રહેશે. પ્રવાસીઓ પાસેથી એક ફેરી માટે ૫૦ રૂપિયા ભાડું લેવામાં આવશે.  

mumbai mumbai news mumbai airport mumbai domestic airport chhatrapati shivaji international airport