કુર્લામાં લાગેલી ભેદી આગમાં ૨૦ જેટલી બાઇક થઈ ખાખ

14 October, 2021 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મકાનમાં રહેતા લોકોને અને એ બાઇકના માલિકોને જ્યારે જાણ થઈ ત્યારે તેમણે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને પણ એની જાણ કરાઈ હતી.

કુર્લામાં લાગેલી ભેદી આગમાં ૨૦ જેટલી બાઇક થઈ ખાખ

કુર્લા-ઈસ્ટમાં સ્ટેશન પાસે આવેલા એક એસઆરએ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં પાર્ક કરાયેલી ૨૦ જેટલી બાઇક મંગળવારે રાતે આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. મકાનમાં રહેતા લોકોને અને એ બાઇકના માલિકોને જ્યારે જાણ થઈ ત્યારે તેમણે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને પણ એની જાણ કરાઈ હતી. આ અકસ્માત હતો કે કોઈએ જાણી જોઈને આગ લગાડી હતી એ જાણી શકાયું નહોતું. કુર્લા-ઈસ્ટના નેહરુનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર ભાબળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને પણ આગની જાણ થતાં અમે ઘટનાસ્થળે ધસી ગયા હતા. જોકે અમને આ સંદર્ભે કોઈ ફરિયાદ મળી નથી. અમે તપાસ કરી હતી, પણ ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરા ચાલુ નહોતા એટલે એમાં કશું જ રેકૉર્ડ થયું નથી. એથી આ આગ કઈ રીતે લાગી એ કહેવું મુશ્કેલ છે. જો અમને આ વિશે ફરિયાદ મળશે તો અમે એ વિશે વધુ તપાસ કરીશું.’ 
તસવીર : પીટીઆઇ

Mumbai mumbai news kurla