યશવંત સિંહા નાગરિકતા કાયદા સામે વિરોધ માટે છ રાજ્યોનો પ્રવાસ કરશે

05 January, 2020 11:51 AM IST  |  Mumbai Desk

યશવંત સિંહા નાગરિકતા કાયદા સામે વિરોધ માટે છ રાજ્યોનો પ્રવાસ કરશે

કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન યશવંત સિંહાએ સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) બિલ, નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ અને નૅશનલ પોપ્યુલેશન રજિસ્ટરના વિરોધ માટે ‘રાષ્ટ્ર મંચના નેજા હેઠળ ‘ગાંધી શાંતિયાત્રા’ નામે છ રાજ્યોના પ્રવાસનો કાર્યક્રમ ગઈ કાલે જાહેર કર્યો હતો. સિંહાએ જણાવ્યા પ્રમાણે ૩૦૦૦ કિલોમીટરના એ પ્રવાસની ત્રીજી જાન્યુઆરીએ મુંબઈમાં ગેટ વે ઑફ ઇન્ડિયા (એપોલો બંદર)થી શરૂઆત કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પછી દિલ્હીમાં રાજઘાટ ખાતે ગાંધીજીની પુણ્યતિથિ-ત્રીસમી જાન્યુઆરીએ સવારે ૧૧.૦૦ વાગ્યે યાત્રાની પૂર્ણાહુતિ થશે. 

ગઈ કાલે યશવંત સિંહાએ ગાંધી શાંતિયાત્રાની જાહેરાત કરી એ વેળા ભૂતપૂર્વ સંસદસભ્ય શત્રુઘ્ન સિંહા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતા હાજર હતા.

mumbai mumbai news yashwant sinha