ગોરેગામમાં યુવતીએ ૨૭માં માળેથી મારી મોતની છલાંગ

22 September, 2019 03:08 PM IST  |  મુંબઈ | સમીઉલ્લાહ ખાન

ગોરેગામમાં યુવતીએ ૨૭માં માળેથી મારી મોતની છલાંગ

ગોરેગામના આ ઓમકાર ટાવરની ચોંકાવનારી ઘટના

મુંબઈ : ગોરેગામમાં રહેતી ૧૯ વર્ષની યુવતી મુસ્કાન મહાજને ગઈ કાલે બિલ્ડિંગના ૨૭મા માળેથી ઝંપલાવીને કથિત રીતે આત્મહત્યા કરી હતી. દિંડોશી પોલીસે ‘મિડ-ડે’ને આપેલી પ્રાથમિક માહિતી અનુસાર મરનારનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું જેમાં તેને કૅન્સર હોવાનું નિદાન થયું હતું. મુસ્કાને તેનાં માતા-પિતા અને ભાઈને ટેક્સ્ટ મેસેજ દ્વારા આત્મહત્યાનું કારણ જણાવ્યું હતું. પોલીસ અકસ્માત મૃત્યુનો કેસ નોંધી કેસની તપાસ કરી રહી છે. 

ગોરેગામ-ઈસ્ટના સંતોષનગરમાં આવેલા ઓમકાર ટાવરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઇન્દોરથી આવેલી અને નજીકની કૉલેજમાં અભ્યાસ કરતી મુસ્કાન છેલ્લા એક વર્ષથી ત્રણ મહિલાઓ સાથે આ અપાર્ટમેન્ટમાં રહેતી હતી. પોલીસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે મુસ્કાન મલાડમાં ડૉક્ટરને મળવા ગઈ હતી, જ્યાં મેડિકલ રિપોર્ટમાં તેને કૅન્સર હોવાની જાણ થઈ હતી.’

goregaon Crime News mumbai mumbai news