શિર્ડીના સાંઈબાબા મંદિરને ૧૧ દિવસમાં ૧૭.૪૨ કરોડનું દાન

05 January, 2020 11:38 AM IST  |  Mumbai Desk

શિર્ડીના સાંઈબાબા મંદિરને ૧૧ દિવસમાં ૧૭.૪૨ કરોડનું દાન

શિર્ડીના સાંઈબાબા મંદિરમાં છેલ્લા ૧૧ દિવસ દરમ્યાન લગભગ ૮ લાખ કરતાં વધુ મુલાકાતીઓનો ધસારો રહ્યો હતો તથા ભાવિકોએ અંદાજે ૧૭.૪૨ કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાનું શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે. 

૨૩ ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી દરમ્યાનના ક્રિસમસના તહેવારની રજાઓમાં ૮.૨૩ લાખ લોકોએ રાજ્યના અહમદનગર જિલ્લામાં આવેલા આ સાંઈમંદિરની મુલાકાત લીધી હોવાનું જણાવતાં ટ્રસ્ટના સીઈઓ દીપક મુગલીકરે ઉમેર્યું હતું કે મંદિરને કુલ ૧૨૧૩.૬૮૦ ગ્રામ સોનું અને ૧૭૨૨૩ ગ્રામ ચાંદી સહિત કુલ ૧૭.૪૨ કરોડ રૂપિયાની ભેટ ચડાવાઈ હતી. ગયા વર્ષે સમાન ગાળામાં મંદિરને ૧૪.૫ કરોડ રૂપિયાની ભેટ મળી હતી.

mumbai shirdi