અજિત નાયબ મુખ્ય પ્રધાન બનશે કે નહીં? શરદ પવારનું મૌન

22 December, 2019 12:19 PM IST  |  Pune

અજિત નાયબ મુખ્ય પ્રધાન બનશે કે નહીં? શરદ પવારનું મૌન

શરદ પવાર

અજિત પવાર મહા વિકાસ આઘાડીની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બનશે કે નહીં એ બાબતે એનસીપીના પ્રમુખ શરદ પવારે જવાબ આપવાનું ટાળ્યું હતું. પુણેમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં શરદ પવારે પ્રધાનમંડળના વિસ્તરણ સંબંધી પ્રશ્નોના ઉત્તરો પણ ઓછા શબ્દોમાં આપ્યા હતા.

પ્રધાનમંડળના વિસ્તરણમાં અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન બનનાર હોવાના શિવસેનાના નેતા સંજય રાઉતના બયાન સંદર્ભે શરદ પવારે જણાવ્યું હતું કે ‘પ્રધાનમંડળના વિસ્તરણ વિશે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં નિર્ણય લેશે. મેં સંજય રાઉતનું બયાન વાંચ્યું છે, પરંતુ હું મારા પક્ષનો પ્રમુખ છું તેથી કોણ શપથ લેશે એ હું જાણું છું.’ નાગપુરમાં બીજેપીના અસંતુષ્ટ નેતા એકનાથ ખડસેને મળ્યા હોવાનું કબૂલતા શરદ પવારે મુલાકાતમાં ચર્ચાની વિગતો જણાવવાનો ઇનકાર કર્યો હતો.

mumbai mumbai news sharad pawar