પહેલાં તો લોકસભા જીતીશું, પછી વિધાનસભાની વાત : અજિત પવાર

05 March, 2019 11:32 AM IST  | 

પહેલાં તો લોકસભા જીતીશું, પછી વિધાનસભાની વાત : અજિત પવાર

અજિત પવાર

લોકસભાની ચૂંટણી પહેલાં વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોનાં નામ નક્કી કરવામાં આવશે તો જ આઘાડીના ઉમેદવારો માટે કામ કરીશું એવું વલણ અપનાવનારા ઇન્દાપુર કૉન્ગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતાં અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું કે પહેલાં આપણે લોકસભાની ચૂંટણી સાથે લડીને જીતીશું અને પછી વિધાનસભાની વાત કરીશું.

રાજ્યમાં લોકસભા માટે કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદીની આઘાડી થઈ છે, પણ ઇન્દાપુરના કાર્યકર્તાઓએ અમે આઘાડીનું કામ કરીશું નહીં એવું એલાન કર્યું હતું. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણના વિરોધમાં નારાજગી વ્યક્ત કરીને કાર્યકર્તાઓએ કહ્યું હતું કે ‘લોકસભામાં અમે આઘાડીનું કામ કરીએ છીએ, પણ ત્યાર બાદ વિધાનસભામાં અમારો વિશ્વાસઘાત થાય છે. એથી હવે લોકસભામાં આઘાડી થતાં પહેલાં જ અમે વિધાનસભાની જગ્યાઓ માટે નિર્ણય લઈશું અને પછી જ આઘાડીનું કામ શરૂ કરીશું.’

આ પણ વાંચો : આતંકી પ્રવૃત્તિઓના સંકેત મળતાં રેલવે ઑથોરિટી હાઈ અલર્ટ પર

આ તમામ ચર્ચાઓ પર ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પ્રશ્ન કર્યો હતો કે ‘હમણાં આપણે લોકસભાની ચર્ચા કરી રહ્યા છીએ. ઇન્દાપુર વિધાનસભાનો વિષય આવ્યો ક્યાંથી? પહેલાં લોકસભા જીતીશું અને પછી વિધાનસભા માટે ચર્ચા કરીશું.’

ajit pawar nationalist congress party bharatiya janata party ahmednagar mumbai news