કાં‌દિવલી પોલીસ સ્ટેશનમાં બીજેપી આગેવાનોના ધરણા

05 January, 2020 10:47 AM IST  |  Mumbai Desk

કાં‌દિવલી પોલીસ સ્ટેશનમાં બીજેપી આગેવાનોના ધરણા

મલાડ-કૉન્ગ્રેસના વિધાનસભ્ય અસલમ શેખને દેશદ્રોહી કહેવાના પ્રકરણે નોર્થ-ઈસ્ટના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા સામે કૉન્ગ્રેસે કાં‌દિવલી પોલીસમાં અરજી કરી હતી. જોકે આ ‌વિશે પોલીસ કાનૂની બાજુ જાણ્યા બાદ નિર્ણય લેશે. એથી હાલ સુધી કૉન્ગ્રેસની અરજી સામે ‌કિરીટ સોમૈયા સામે કોઈ પણ પ્રકારનો કેસ નોંધ્યો ન હોવાની સ્પષ્ટતા પણ કરી છે. કાંદિવલી પોલીસ સ્ટેશને ‌કિરીટ સોમૈયાઅે પોતે જ જઈને શરણાગતિ કરી હતી. ગઈ કાલે કાં‌દિવલી પોલીસ સ્ટેશને બીજેપીના ‌‌‌વિ‌વિધ પદા‌ધિકારીઓ, નગરસેવકો સ‌હિત કાર્યકર્તાઓએ ધરણા કર્યા હતા. તકેદારીના પગલારૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

mumbai